Tuesday, January 24, 2023

ધોરણ 6 ગુજરાતી એકમ કસોટી

ધોરણ 6   ગુજરાતી   એકમ કસોટી

એકમ ના નામ પર ટીક કરો. પછી આપેલ લિંક પર ટીક કરી ટેસ્ટ આપો. તમે આપેલ ઇમેઇલ પર સર્ટીફીકટ આવશે...

એકમ 10 આલા લીલા વાંસડીયા

એકમ 11 એક જાદૂઈ પત્રની વાર્તા

એકમ 12 રાવણનું મિથ્યાભિમાન

એકમ 13 સાગર કાંઠાનો પ્રવાસ

એકમ 14 સારા અક્ષર

એકમ 15 ગુજરાત મોરી મોરી રે

એકમ 16 માતૃહૃદય

એકમ 17 સુગંધ કચ્છની.....

એકમ 18 સુભાષિત

  • ભરતસિંહ મકવાણા
  • નવાગામ પ્રાથમિક શાળા તા અંજાર જી કચ્છ 

સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ



15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
દેશના રાષ્ટ્રીય પર્વ પર તિરંગો ફરકાવવાનો રિવાજ છે અને સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

👉

સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર ઝંડો ફરકાવવામાં શું તફાવત હોયછે.

15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામા આવે છે, જેને ધ્વજારોહણ' કહેવાય છે.

અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હે છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.





સ્વતંત્રતા દિવસ પર પીએમ કરે છે ધ્વજારોહણ

સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છે, તેઓ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે, 26 જાન્યુઆરીને જો કે દેશમાં સંવિધાન લાગૂ થવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે, આ દિવસે સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
દેશના રાષ્ટ્રીય પર્વ પર તિરંગો ફરકાવવાનો રિવાજ છે અને સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
👉
સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર ઝંડો ફરકાવવામાં શું તફાવત હોયછે.
15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામા આવે છે, જેને ધ્વજારોહણ' કહેવાય છે.
અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હે છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.




સ્વતંત્રતા દિવસ પર પીએમ કરે છે ધ્વજારોહણ
સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છે, તેઓ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે, 26 જાન્યુઆરીને જો કે દેશમાં સંવિધાન લાગૂ થવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે, આ દિવસે સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.

Wednesday, January 12, 2022

મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ

 ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.

ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.

મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ. ૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.


મકરસંક્રાંતિ બીજું નામ માઘ મેલા

માઘી ભોગાલી ઉજવવામાં આવે છે

હિંદુ અને અન્ય લોકો

પ્રકાર

ધાર્મિક અને સાંસ્કૃતિક

મહત્વ

લણણી, સંક્રાત અને સૂર્યપૂજા

ઉજવણીઓ

પતંગ ઉડાવવી, મેળાઓ, સૂર્ય પૂજા, ઉજવણી, નૃત્ય, જમણવારો અને સામાજીક મેળાવડા

તારીખ

૧૪ જાન્યુઆરી (હિંદુ પંચાંગ પ્રમાણે બદલાય છે)

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.[૩]


આ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે


મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે.


મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.

પરંપરા અને અનુષ્ઠાનો ફેરફાર કરો

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.


મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.


ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.


ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે



આપણા આદર્શ યુગ પુરુષ

 

સ્વામી વિવેકાનંદ જયંતીઃ જાણો સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા રોચક પ્રસંગો


- ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2022, બુધવારSwami Vivekanand Jayanti 2022: સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. 12 જાન્યુઆરીનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ (National Youth Day) તરીકે ઉજવાય છે. તેમના અમૂલ્ય વિચારો (Swami Vivekanand Inspirational Quotes) યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે.


સ્વામી વિવેકાનંદજીની જયંતીને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય 'યુવા દિવસ' કે 'સ્વામી વિવેકાનંદ જન્મદિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ 1863ના વર્ષમાં 12મી જાન્યુઆરીના રોજ થયો હતો. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે તેમને યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. 

ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જયંતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા કેટલાક રોચક પ્રસંગો.

મૂર્તિપૂજાનું ઔચિત્ય

અલવરના દીવાન રાજા મંગલ સિંહે 1891ના વર્ષમાં વિવેકાનંદને મુલાકાત માટે બોલાવ્યા હતા. મંગલ સિંહે વિવેકાનંદને કહ્યું હતું કે, 'સ્વામીજી આ તમામ લોકો મૂર્તિપૂજા કરે છે. હું મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી ધરાવતો. મારૂં શું થશે?' પહેલા તો સ્વામીજીએ કહ્યું કે, 'સૌ કોઈને તેમનો વિશ્વાસ મુબારક.' બાદમાં કશુંક વિચારીને સ્વામીજીએ રાજાનું ચિત્ર લાવવા માટે કહ્યું. જ્યારે દીવાલ પરથી ઉતારીને રાજાનું તૈલ ચિત્ર લાવવામાં આવ્યું તો સ્વામીજીએ દીવાનને તસવીર પર થૂંકવા માટે કહ્યું. આ સાંભળીને દીવાન ચોંકીને તેમના સામે જોવા લાગ્યા. ત્યારે સ્વામીજીએ કહ્યું કે, આ તો કાગળનો માત્ર એક ટુકડો છે છતાં તમે અચકાઈ રહ્યા છો કારણ કે, તમને સૌને ખબર છે કે, આ તમારા રાજાનું પ્રતીક છે. સ્વામીજીએ રાજાને કહ્યું, 'તમે જાણો છો કે, આ માત્ર ચિત્ર છે, તેમ છતાં તેના પર થૂંકવા પર તમે અપમાનિત થયાનો અનુભવ કરશો. આ જ વાત એ સૌ લોકો પર લાગુ પડે છે જે લાકડાં, માટી અને પથ્થરની બનેલી મૂર્તિની પૂજા કરે છે. તેઓ એ ધાતુની નહીં પણ પોતાના ઈશ્વરના પ્રતીકની પૂજા કરે છે.' 

 

ધોરણ 6 ગુજરાતી એકમ કસોટી

ધોરણ 6   ગુજરાતી   એકમ કસોટી એકમ ના નામ પર ટીક કરો. પછી આપેલ લિંક પર ટીક કરી ટેસ્ટ આપો. તમે આપેલ ઇમેઇલ પર સર્ટીફીકટ આવશે. .. એકમ 10  આલા લીલ...